ભરૂચ:દહેગામ ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, કર્મચારીઓનો આબાદ બચાવ

ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.

New Update
  • ભરૂચ દહેજ રોડ પર બની ઘટના

  • ખાનગી લકઝરી બસમાં આગ

  • હિમાની કંપનીની બસમાં આગ

  • કર્મચારીઓનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔધોગિક એકમો આવેલા છે.તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોને ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શીપમાં કામદારોને લઈને જઈ રહેલી લકઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નિકળીને આગ લાગી હતી.આગની જાણ થતાંજ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહીનાની 2 જી માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓના આબાદ બચાવ થયો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.