ભરૂચ:દહેગામ ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, કર્મચારીઓનો આબાદ બચાવ

ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.

New Update
  • ભરૂચ દહેજ રોડ પર બની ઘટના

  • ખાનગી લકઝરી બસમાં આગ

  • હિમાની કંપનીની બસમાં આગ

  • કર્મચારીઓનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Advertisment W3.CSS
ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔધોગિક એકમો આવેલા છે.તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોને ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શીપમાં કામદારોને લઈને જઈ રહેલી લકઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નિકળીને આગ લાગી હતી.આગની જાણ થતાંજ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહીનાની 2 જી માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓના આબાદ બચાવ થયો હતો.
Read the Next Article

અંકલેશ્વર : 27 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં જામ્યો મેળાવડો

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,

New Update
  • ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીની ચહલપહલ

  • ઉમેદવારીનો અંતિમ દિવસ

  • ચૂંટણી કચેરીઓમાં લાગી ભીડ

  • સરપંચ અને સભ્યોએ નોંધાવી ઉમેદવારી

  • 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ 

અંકલેશ્વર તાલુકાના 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં મેળાવડો જામ્યો હતો.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો,જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ 10 સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું,જ્યારે સંજાલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.વધુમાં કોસમડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં  સરપંચના ઉમેદવાર શારદા પ્રકાશભાઈ વસાવાએ 16 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવીને પોતાની જીતનો દાવો કર્યો હતો.

અંકલેશ્વરના માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર નવીન અર્જુન પટેલે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીતેશભાઈ પટેલે 8 સભ્યો સાથે ઉમેદવારી કરી હતી.આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ  10 સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું.તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સુકા ગંભીર વસાવાએ 10 સભ્યોઅને માટીએડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર માટે પંકજ ફતેસિંહ પરમારે 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે 11 જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે.