ભરૂચ: ફૂલ ગુલાબી ઠંડીની સાથે વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન,કુદરતની શોભામાં થયો વધારો

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે.

New Update
  • ભરૂચમાં મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ 

  • કુદરતની શોભામાં થઇ અભિવૃદ્ધિ

  • ગેલાણી તળાવના વૃક્ષો પર પક્ષીઓએ બનાવ્યા માળા 

  • પક્ષીઓના કિલકિલાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • પ્રકૃતિપ્રેમીઓમાં પ્રસરી આનંદની લાગણી 

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે.ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છેજેના કારણે આ વિસ્તારમાં સીઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે.વિદેશમાં દરિયામાં વસતાગીધ જેટલુ ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે.સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાળા જણાવ્યું હતું કેઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે.બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે.ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિપ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે,અને કુદરતની શોભામાં જાણે આ અબોલ જીવ પક્ષીઓએ સુંદરતાનો વધારો કર્યો હોય તેવી લાગણી પણ પ્રકૃતિપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.