ભરૂચ: પૂર્વ MLA દુષ્યંત પટેલે પાંજરાપોળમાં ગૌ પૂજન કરી જન્મદિવસની કરી ઉજવણી

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો  સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી

New Update
  • ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો કાર્યક્રમ

  • પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસે કાર્યક્રમ યોજાયો

  • ગૌ માતાનું કરવામાં આવ્યું પૂજન અર્ચન

  • ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત

  • દુષ્યંત પટેલને જન્મ દિવસની પાઠવી શુભકામના

ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો  સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી
ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય. અમે દિવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી.પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મુંગા પશુઓને ઘાસ ચારો ખવડાવી ગૌ માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ પાલીકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા,નરેશ સુથારવાલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં  પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ. જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.