ભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ CMને પત્ર લખી ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા કરી માંગ !

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.

New Update
  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ CMને લખ્યો પત્ર

  • 3 બાળકોનો કાયદો રદ્દ કરવા કરી માંગ

  • ચૂંટણીમાં 3 બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે

  • આ કાયદો રદ્દ કરવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી

  • સંઘ સુપ્રીમો મોહન ભાગવતે પણ આપ્યું હતું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005 નો 3 બાળકોનો કાયદો લાગુ કરવા આવ્યો છે. R.S.S વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબતે ચિંતા દર્શાવી 3 બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું ત્યારે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને  ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘ સુપ્રીમોના નિવેદનને ટાંકી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધીકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગર પાલિકાની ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે 3 બાળકોનો કાયદો તત્કાલીક રદ કરવામા આવે એવી માંગણી કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦(૧)  મુજબ ત્રણ બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં ત્યારે આ કાયદો રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.