ભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ CMને પત્ર લખી ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા કરી માંગ !

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.

New Update
  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ CMને લખ્યો પત્ર

  • 3 બાળકોનો કાયદો રદ્દ કરવા કરી માંગ

  • ચૂંટણીમાં 3 બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે

  • આ કાયદો રદ્દ કરવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી

  • સંઘ સુપ્રીમો મોહન ભાગવતે પણ આપ્યું હતું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005 નો 3 બાળકોનો કાયદો લાગુ કરવા આવ્યો છે. R.S.S વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબતે ચિંતા દર્શાવી 3 બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું ત્યારે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને  ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘ સુપ્રીમોના નિવેદનને ટાંકી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધીકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગર પાલિકાની ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે 3 બાળકોનો કાયદો તત્કાલીક રદ કરવામા આવે એવી માંગણી કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦(૧)  મુજબ ત્રણ બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં ત્યારે આ કાયદો રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.