New Update
-
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ CMને લખ્યો પત્ર
-
3 બાળકોનો કાયદો રદ્દ કરવા કરી માંગ
-
ચૂંટણીમાં 3 બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે
-
આ કાયદો રદ્દ કરવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી
-
સંઘ સુપ્રીમો મોહન ભાગવતે પણ આપ્યું હતું નિવેદન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005 નો 3 બાળકોનો કાયદો લાગુ કરવા આવ્યો છે. R.S.S વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબતે ચિંતા દર્શાવી 3 બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું ત્યારે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘ સુપ્રીમોના નિવેદનને ટાંકી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધીકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગર પાલિકાની ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે 3 બાળકોનો કાયદો તત્કાલીક રદ કરવામા આવે એવી માંગણી કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩૦(૧) મુજબ ત્રણ બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં ત્યારે આ કાયદો રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.