ભરૂચ: દહેજની GFL કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતા ચાર કામદારોના જીવનદીપ બુઝાયા

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે

New Update
  • GFLમાં ઝેરી ગેસ ગળતરથી સર્જાઈ ગોઝારી દુર્ઘટના

  • કંપનીના CMS પ્લાન્ટમાં બની ઘટના

  • ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત

  • સારવાર દરમિયાન કામદારોએ લીધા અંતિમ શ્વાસ

  • મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય 

Advertisment

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે,સર્જાયેલી ઘટનામાં કંપની દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

રૂચ જિલ્લાના દહેજ ખાતેની ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં તારીખ 28મી ની રાતે 9:30 કલાકની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથાઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રીસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઈડ, CT ક્લોરોફોમ અને HCL વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છેતેમાં બે ગેસ પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કામદારોને ઝેરી ગેસ લાગ્યો હતો.તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓ.એચ.સી ખાતે આપવામાં આવી હતી,અને વધુ સારવાર માટે 7 એક્સ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કામદારોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મણાની ,ડીસ્ટ્રીકટ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીજીપીસીબીની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દહેજની GFLમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા,મહેશ નંદલાલ,સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ,મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે.મૃતકોમાં એક કંપની અને ત્રણ કામદારો કોન્ટ્રાક્ટ હેઠળના હતા.કંપનીના એચ.આર મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે કંપનીના CMS પ્લાન્ટમાં પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી,અને કંપની દ્વારા મૃતક કામદારોના પરિવારને રૂપિયા 25 લાખની આર્થિક સહાયની આપવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડિસેમ્બર માસની શરૂઆતમાં જ ડેટોક્સ ઇન્ડિયા લી.માં પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારો કરુણ મોતને ભેટ્યા હતા,અને ત્યાર બાદ રાજકીય વિવાદો પણ શરૂ થયા હતા,ત્યારે એક જ મહિના બીજી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે,અને ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.GFL માં ગેસ ગળતરથી મોતને ભેટેલા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે  સહિતની તલસ્પર્શી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય છે.    

 

Advertisment

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment