ભરૂચ: દહેજની GFL કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતા ચાર કામદારોના જીવનદીપ બુઝાયા

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે

New Update
  • GFLમાં ઝેરી ગેસ ગળતરથી સર્જાઈ ગોઝારી દુર્ઘટના

  • કંપનીનાCMS પ્લાન્ટમાં બની ઘટના

  • ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત

  • સારવાર દરમિયાન કામદારોએ લીધા અંતિમ શ્વાસ

  • મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય 

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે,સર્જાયેલી ઘટનામાં કંપની દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

રૂચ જિલ્લાના દહેજ ખાતેની ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં તારીખ 28મી ની રાતે 9:30 કલાકની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથાઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રીસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઈડ, CT ક્લોરોફોમ અનેHCL વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છેતેમાં બે ગેસ પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કામદારોને ઝેરી ગેસ લાગ્યો હતો.તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓ.એચ.સી ખાતે આપવામાં આવી હતી,અને વધુ સારવાર માટે 7 એક્સ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કામદારોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મણાની,ડીસ્ટ્રીકટ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીજીપીસીબીની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દહેજનીGFLમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા,મહેશ નંદલાલ,સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ,મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે.મૃતકોમાં એક કંપની અને ત્રણ કામદારો કોન્ટ્રાક્ટ હેઠળના હતા.કંપનીના એચ.આર મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે કંપનીનાCMS પ્લાન્ટમાં પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી,અને કંપની દ્વારા મૃતક કામદારોના પરિવારને રૂપિયા 25 લાખની આર્થિક સહાયની આપવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડિસેમ્બર માસની શરૂઆતમાં જ ડેટોક્સ ઇન્ડિયા લી.માં પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારો કરુણ મોતને ભેટ્યા હતા,અને ત્યાર બાદ રાજકીય વિવાદો પણ શરૂ થયા હતા,ત્યારે એક જ મહિના બીજી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે,અને ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.GFL માં ગેસ ગળતરથી મોતને ભેટેલા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે  સહિતની તલસ્પર્શી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય છે.    

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.