ભરૂચ: ધોધમાર વરસાદથી જનજીવન પ્રફુલ્લિત, 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો

New Update

ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ,વાપી, નવસારી અને સુરતમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.

કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં છ મીલીમીટર,આમોદમાં 1 ઇંચ, વાગરામાં બે ઇંચ,ભરૂચમાં સાત મિલીમીટર, ઝઘડિયામાં બે મિલીમીટર,અંકલેશ્વરમાં આઠ મિલીમીટર, હાંસોટમાં 15 મિલીમીટર,વાલીયામાં સાત મીલીમીટર તેમજ નેત્રંગમાં 14 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. આજરોજ રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો રવિવારની રજની  મજા વરસાદ સાથે માણી રહ્યા છે 

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.