ભરૂચ: આમોદના આછોદ ગામે પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પતિ-પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો !

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

New Update
  • ભરૂચના આમોદના આછોદ ગામનો બનાવ

  • પરિણીત યુવાને કર્યો આપઘાત

  • ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

  • પતિ પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો

  • આમોદ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા ગટગતાંવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને 108 એમબ્યુલન્સ મારફતે  આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પતિએ ઝેરી દવા પી આપઘાત કરતા બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે પરિણીત યુવાને અંતિમ પગલું શા માટે ભર્યું તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.