ભરૂચ: આમોદના આછોદ ગામે પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પતિ-પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો !

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

New Update
  • ભરૂચના આમોદના આછોદ ગામનો બનાવ

  • પરિણીત યુવાને કર્યો આપઘાત

  • ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

  • પતિ પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો

  • આમોદ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા ગટગતાંવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને 108 એમબ્યુલન્સ મારફતે  આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પતિએ ઝેરી દવા પી આપઘાત કરતા બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે પરિણીત યુવાને અંતિમ પગલું શા માટે ભર્યું તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.