ભરૂચ: વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્નો, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

New Update
  • ભરૂચના વોર્ડ-7માં વિવિધ પ્રશ્નો

  • નવી વસાહતના રહીશોએ નોંધાવ્યો વિરોધ

  • ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્ને રહીશો ત્રાહિમામ

  • બગીચામાં ખુલ્લા વીજ વાયરોથી જીવને જોખમ

  • પ્રશ્નોના નિરાકરણની કરાય માંગ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

ભરૂચ શહેરમાં એક તરફ  વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.