ભરૂચ: વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્નો, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

New Update
  • ભરૂચના વોર્ડ-7માં વિવિધ પ્રશ્નો

  • નવી વસાહતના રહીશોએ નોંધાવ્યો વિરોધ

  • ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્ને રહીશો ત્રાહિમામ

  • બગીચામાં ખુલ્લા વીજ વાયરોથી જીવને જોખમ

  • પ્રશ્નોના નિરાકરણની કરાય માંગ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

ભરૂચ શહેરમાં એક તરફ  વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે

Latest Stories