ભરૂચ : શક્તિનાથ નજીક ઝૂપડાઓમાં લાગેલી આગના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે.

New Update
  • શક્તિનાથ વિસ્તારમાં બનેલી આગની ઘટનાનો મામલો

  • ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા મોટું નુકશાન

  • ઝૂંપડાવાસીઓને વ્હારે આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ

  • જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ

  • જરૂરિયાતમંદો મદદરૂપ થવા કરવામાં આવ્યો સુંદર પ્રયાસ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે. જેમાં બ્લેંકેટકપડાંઅનાજની કીટવાસણો સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી માનવતા મહેકાવી છે.

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારાએક કદમ...માનવતા કી ઔરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે. ગત તા. 22 ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઘરવખરીનો તમામ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.

ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ વહારે આવી પહેલા દિવસથી જ બ્લેંકેટકપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી. આ સાથે જ દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ દાતાઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.