ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે ફરી એકવાર કલેકટરને લખ્યો પત્ર !

ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર બાય ચઢાવી છે તેઓએ કલેકટરને પત્ર લખી આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરી છે

New Update
  • ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન

  • સાંસદ મનસુખ વસાવાએ ચઢાવી બાય

  • ફરીએકવાર કલેકટરને લખ્યો પત્ર

  • ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ

  • ચૈતર વસાવાની પદયાત્રા બાદ મનસુખ વસાવાનો પત્ર

ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર બાય ચઢાવી છે તેઓએ કલેકટરને પત્ર લખી આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરી છે

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે રાજકારણ ગરમાય  રહ્યું છે ત્યારે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેકટરને પત્ર લખ્યો છે.સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે  નર્મદાના કિનારે આવેલા ઝગડિયા તાલુકાના શુક્લતીર્થ અને ભાલોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે રેતી ખનનની સતત ફરિયાદો મળી રહી છે. મેં જિલ્લા સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો હવે પાણેથા, આસા અને ઉમલ્લા જેવા વિસ્તારોમાં પણ રેતી ખનન અંગેની અનેક ફરિયાદ મળી રહી છે ત્યારે આ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રેતીખનના વેપલા સામે પરવાનગી વગર પદયાત્રા કરનાર આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયા બાદ ચૈતરના વસાવાની મંગળવારે અટકાયત પણ કરાઈ હતી ત્યારે હવે રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાયો ચઢાવતા રાજકારણ ગરમાયુ છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.