ભરૂચ : જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પરના દબાણકર્તાઓને પાલિકાનું અલ્ટીમેટમ..!

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી.

New Update
  • જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પર દબાણો

  • દબાણ દૂર કરવા પાલિકાએ દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપ્યું

  • દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂરકેટલાક દબાણ યથાવત

  • દબાણ યથાવત રહેતા નગરપાલિકા કડક કાર્યવાહી હાથ ધરશે

  • નવો રોડ મંજુર થતાં જંબુસરની જનતામાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના દબાણ દૂર કરવા જંબુસર પાલિકાએ અલ્ટીમેટમ આપ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છેતે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતાજ્યારે અન્ય કેટલાક દબાણકર્તાઓએ પોતાના દબાણ યથાવત રાખાતા આવનારા દિવસોમાં પાલિકા તંત્ર આવા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે. જંબુસરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીમાં નવો રોડ મંજુર થતાં જંબુસરની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.