New Update
-
પાકિસ્તાન પર ભારતીય સેનાનું શૌર્ય પ્રદર્શન
-
આતંકી ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઇક
-
100થી વધુ આતંકીઓનો ખાત્મો
-
મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી ઉજવણી
-
મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી
ભારતીય સેના દ્વારા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શનના પગલે ભરૂચમાં મુસ્લિમ સમાજના સભ્યોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી તો બીજી તરફ સેનાના નિવૃત્ત જવાનો પણ ભારતીય સેનાના આ કાર્યને બિરદાવી રહ્યા છે
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.આ આ હુમલામાં 100 થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આ શોર્ય પ્રદર્શનને બિરદાવ્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનો અને સભ્યોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી ત્યારે આવો જાણીએ મુસ્લિમ સમાજના આગેવાનો સેનાના અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અંગે શું કહી રહ્યા છે
આ તરફ ભરૂચ શહેરો રહેતા અને વર્ષ 1961થી 1976 ભારતીય એરફોર્સમાં ફરજ બજાવતા તિલકરાજ દુગ્ગલે સેના દ્વારા પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા બંકરો પર એર સ્ટ્રાઈક કરીને આંતકવાદીઓના ઠેકાણાને ને કરતા એક સૈનિક તરીકે ગૌરવ અનુભવી રહ્યા છે.
Latest Stories