ભરૂચ: આજથી પ્રાથમિક શાળાઓમાં નો બેગ ડે અભિયાનનો પ્રારંભ, દર શનિવારે બાળકો ભણતર સિવાય ઇતર પ્રવૃત્તિઓ કરશે

સમગ્ર રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ જીસીઈઆરટી અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો માટે આજથી નો બેગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • રાજ્ય સરકારનો નવતર અભિગમ

  • શાળાઓમાં નો બેગ ડેનો પ્રારંભ

  • દર શનિવારે હશે નો બેગ ડે

  • બાળકોએ વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં લીધો ભાગ

  • કૌશલ્યના વિકાસ માટે મહત્વનો નિર્ણય

સમગ્ર રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ જીસીઈઆરટી અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો માટે આજથી નો બેગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની 876 શાળાના 90 હજાર બાળકો આજે દફતર વિના શાળાએ પહોંચ્યા હતા
બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ચિંતાજનક બન્યો છે .બાળકોના શારીરિક માનસિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે.સમસ્યાના નિરાકરણ માટે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે નો બેગ ડેની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના 90 હજારથી વધારે વિધાર્થીઓ આજે દફતર વગર શાળાએ પહોંચ્યા હતા જ્યાં બાળકોને આનંદદાયી શનિવાર અંતર્ગત માસ ડ્રિલ,યોગ,બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃતિઓ શૈક્ષણિક રમતો પ્રોજેક્ટ ચિત્રકામ સંગીત સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.બાળકોએ પણ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ અને સંગીત સહિતના વિષયો પર તાલીમ આપી હતી.
બાળકો પણ શાળાએ દફતર વગર પહોંચતા તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોએ વિવિધ ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સમગ્ર દિવસ  આનંદમય રીતે પસાર કર્યો હતો
આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલી વિવિધ શાળાઓમાં પણ નો બેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો શાળાએ બેગ વગર આવ્યા હતા અને તેમને વિવિધ ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી બાળકોનો માનસિક શારીરિક અને સામાજિક વિકાસ થાય તે હેતુસર આ અભિગમને શાળા પરિવારે આવકાર આપ્યો હતો.
બાળકોના સર્વાંગી વિકાસમાં વ્યવસાય સાથે મેળાપ કરવો તેમજ વિવિધ ક્ષેત્રિય મુલાકાતો દ્વારા  જ્ઞાન અને અનુભવનો લાભ મળી રહે તેનું પણ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
બાળકો માત્ર ભણતરમાં જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધે તે હેતુસર સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.