ભરૂચ: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પનો GNFC ખાતેથી પ્રારંભ,140 સાધકો જોડાયા

દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જીએનએફસી ખાતે આયોજન

  • મેદસ્વીતા મુક્ત કેમ્પનું આયોજન

  • પી.એમ.મોદીના જન્મદિવસથી કેમ્પનો પ્રારંભ

  • 140 સાધકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ gnfc સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે. ભરૂચમાં  જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી, જી એન એફ સીના અધિકારીઓ, બ્રહ્માકુમારી સંસ્થા, સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ સંસ્થાના, સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ સહિતની સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Latest Stories