ભરૂચ : ચૈત્ર સુદ આઠમ નિમિત્તે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર-ઓસારા ખાતે યજ્ઞ-હવન યોજાયો, માઈભક્તોએ ધન્યતા અનુભવી...

ભરૂચના સુપ્રસિદ્ધ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમ શ્રી મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
maxresdefault-Recovered-Recovered

ભરૂચના સુપ્રસિદ્ધ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમ શ્રી મહાકાળી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં ચાલી રહેલા ચૈત્ર નવરાત્રીના આઠમા નોરતેમાં મહાકાળી માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર-ઓસારા ખાતે યજ્ઞ પૂજાનું વિશેષ અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા યજમાનોએ હવન યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આઠમ નિમિત્તે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. શ્રી કાળકા માતાજીનું મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્તવ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલહિંદુ દેવી શ્રી કાળકા માતાજીનું  પ્રાગટ્ય મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજીની છેજેની ડાબી બાજુએ માઁ કાલી માતાજી અને જમણી બાજુએ માઁ બહુચર માતાજીની મૂર્તિઓ છે. ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં સહસ્ત્ર (હજારો) ભક્તો આવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.