ભરૂચ : રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ…

પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી

New Update
Bharuch City Bus

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે અનોખુ આયોજન

નગરપાલિકા દ્વારા મહિલાઓને આપવામાં આવી ભેટ

સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી

રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન મફત મુસાફરીની ભેટ

મોટી સંખ્યામાં મહિલાઓ-યુવતીઓ લાભ લે તેવી અપીલ

આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા મહિલાઓને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે..

ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમ્યાન ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. બહેનોને ભાઈના ઘર સુધી પહોચવાનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે.

તેવામાં પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લેતેવીભરૂચ નગરપાલિકાના પ્રમુખદ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.