ભરૂચ: પ્રવાસન ધામ કબીરવડની દયનીય હાલત,સહેલાણીઓએ કરી સ્વચ્છતા અને જરૂરી સુવિધાની માંગ

ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.

New Update

ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના કબીરવડ પાવન શલીલા મા નર્મદા નદીના કિનારે અને ટાપુ સમાન ધાર્મિક પવિત્ર સ્થળ છે.જ્યાં દૂર દૂરથી સહેલાણીઓ પ્રવાસની મોજ મજા માણવા માટે આવે છે,પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળ પ્રત્યેની તંત્રની ઉદાશીનતાએ કબીરવડની ઓળખ હવે ભૂંસાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચથી અંદાજીત 16 કિલોમીટરના અંતરે આવેલું અને નર્મદા નદી કિનારે વસેલું વડની વડવાઈઓથી વૃક્ષ વાટિકામાં ફેરવાયેલુ કબીરવડ સ્થાન પર સંત કબીરનું મંદિર આવેલું છે,હોડી ઘાટ પરથી નાવડીમાં બેસીને પ્રવાસીઓ વટવૃક્ષની છાયામાં પ્રવેશ કરીને સંત કબીરના દર્શન કરી શકે છે.અને નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ પ્રવાસીઓ લુફ્ત ઉઠાવે છે.
પરંતુ વર્તમાન સમયમાં કબીરવડ પ્રત્યેની તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે,જ્યાં સ્વચ્છતા અને શૌચાલય સહિતની પાયાની સુવિધાનો અભાવ મુલાકાતીઓને નિરાશ કરી રહ્યા છે.એક સમય હતો જ્યારે દિવાળી કે ઉનાળુ વેકેશનમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કબીરવડમાં ઉમટી પડતા હતા,જોકે સમયાંતરે જાળવણીના અભાવે હવે કબીરવડની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે,અને પ્રવાસીઓ પણ સુવિધામાં વધારો કરવા માટેની માંગ કરી રહ્યા છે. 
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.