ભરૂચ: પ્રવાસન ધામ કબીરવડની દયનીય હાલત,સહેલાણીઓએ કરી સ્વચ્છતા અને જરૂરી સુવિધાની માંગ

ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.

New Update

ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના કબીરવડ પાવન શલીલા મા નર્મદા નદીના કિનારે અને ટાપુ સમાન ધાર્મિક પવિત્ર સ્થળ છે.જ્યાં દૂર દૂરથી સહેલાણીઓ પ્રવાસની મોજ મજા માણવા માટે આવે છે,પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળ પ્રત્યેની તંત્રની ઉદાશીનતાએ કબીરવડની ઓળખ હવે ભૂંસાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચથી અંદાજીત 16 કિલોમીટરના અંતરે આવેલું અને નર્મદા નદી કિનારે વસેલું વડની વડવાઈઓથી વૃક્ષ વાટિકામાં ફેરવાયેલુ કબીરવડ સ્થાન પર સંત કબીરનું મંદિર આવેલું છે,હોડી ઘાટ પરથી નાવડીમાં બેસીને પ્રવાસીઓ વટવૃક્ષની છાયામાં પ્રવેશ કરીને સંત કબીરના દર્શન કરી શકે છે.અને નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ પ્રવાસીઓ લુફ્ત ઉઠાવે છે.
પરંતુ વર્તમાન સમયમાં કબીરવડ પ્રત્યેની તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે,જ્યાં સ્વચ્છતા અને શૌચાલય સહિતની પાયાની સુવિધાનો અભાવ મુલાકાતીઓને નિરાશ કરી રહ્યા છે.એક સમય હતો જ્યારે દિવાળી કે ઉનાળુ વેકેશનમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કબીરવડમાં ઉમટી પડતા હતા,જોકે સમયાંતરે જાળવણીના અભાવે હવે કબીરવડની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે,અને પ્રવાસીઓ પણ સુવિધામાં વધારો કરવા માટેની માંગ કરી રહ્યા છે. 
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.