ભરૂચ:ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ,નરાધમની ધરપકડ કરતી પોલીસ

નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી

New Update
  • ભરૂચની ઝઘડિયા GIDCમાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ

  • બાળકીને પહોંચી હતી ગંભીર ઇજા

  • પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

  • દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીમાં ફેંકી દેવાય હતી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની  10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.જોકે પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.બાળકીની એકલતાનો લાભ લઈ નજીકમાં રહેતા યુવાને જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર જીઆઈડીસીમાં  મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.જેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઇડીડી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક  ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી.જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી.પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન  નામના 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
આરોપી ખાનગી કંપનીમાં સેંટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.બાળકી સાંજના સમયે રમી રહી હતી,તે દરમિયાન તેની એકલતાનો લાભ લઇ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો.ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.