ભરૂચ: જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર બન્ને નરાધામોની પોલીસે કરી ધરપકડ

ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • એક ગામમાં દિવ્યાંગ યુવતી પર આચરાયું દુષ્કર્મ

  • બે નરાધામોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું

  • બન્ને નરાધામોની ગણતરીના સમયમાં ધરપકડ

  • જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતિ બંન્ને પગે દિવ્યાંગ હોઈ તેના ભાઈ-ભાભી સાથે રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલાં તેમના મકાનમાં તેઓ એક જ રૂમમાં સુતાં હતાં. જોકે, દિવ્યાંગ યુવતિ એક તરફ સુતી હતી. અને તેના ભાઈ-ભાભી અને તેના બાળકો બીજી તરફ સુતાં હતાં અને તેઓએ વચ્ચે પડદો બાંધ્યો હતો.મોડી રાત્રીના અરસામાં  ગામના જ અશ્વિન સંજય રાઠોડ તેમજ વિજય રાઠોડ મકાનમાં પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને દિવ્યાંગ યુવતી પર મોઢું દબાવી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.આ દરમ્યાન ભાભી જાગી જતા બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.આ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના જ સમયમાં બન્ને નરાધમોની નડિયાદ ગામની સીમમાંથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ISRO -YUVIKAની 15 દિવસની ટ્રેનીંગમાં લીધો ભાગ

ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી જેમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા

  • સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની સિદ્ધિ

  • ISRO -YUVIKAની ટ્રેનીંગમાં લીધો ભાગ

  • ધોરણ 10માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી

  • શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય લકકડે ઇસરો યુવીકા 2015 અંતર્ગત 15 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ તાલીમ વર્ગમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણ લકકડની પણ પસંદગી કરવામાં આવી હતી.ચૈતન્યએ માઉન્ટ આબુ ખાતે યોજાયેલ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો જ્યાં તેણે રોકેટ બનાવવા સહિતની ટ્રેનિંગ મેળવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.
ટ્રેનીંગમાં ભાગ લેવા  બદલ શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.યુવિકા એટલે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ ભારત સરકાર દ્વારા યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસ પેદા કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત 18 જાન્યુઆરી, 2019ના રોજ ISRO દ્વારા કરવામાં આવી હતી.