ભરૂચ: જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર બન્ને નરાધામોની પોલીસે કરી ધરપકડ

ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • એક ગામમાં દિવ્યાંગ યુવતી પર આચરાયું દુષ્કર્મ

  • બે નરાધામોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું

  • બન્ને નરાધામોની ગણતરીના સમયમાં ધરપકડ

  • જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચના જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતિ બંન્ને પગે દિવ્યાંગ હોઈ તેના ભાઈ-ભાભી સાથે રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલાં તેમના મકાનમાં તેઓ એક જ રૂમમાં સુતાં હતાં. જોકે, દિવ્યાંગ યુવતિ એક તરફ સુતી હતી. અને તેના ભાઈ-ભાભી અને તેના બાળકો બીજી તરફ સુતાં હતાં અને તેઓએ વચ્ચે પડદો બાંધ્યો હતો.મોડી રાત્રીના અરસામાં  ગામના જ અશ્વિન સંજય રાઠોડ તેમજ વિજય રાઠોડ મકાનમાં પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને દિવ્યાંગ યુવતી પર મોઢું દબાવી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.આ દરમ્યાન ભાભી જાગી જતા બન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.આ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના જ સમયમાં બન્ને નરાધમોની નડિયાદ ગામની સીમમાંથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.