-
NH-48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત
-
અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકની કેબિનમાં ફસાયો
-
108 ઈમરજન્સી સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા
-
ફાયર ફાઈટરોએ ટ્રકચાલકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું
-
ભારે જહેમત બાદ ટ્રકચાલકને હેમખેમ બહાર કાઢ્યો
ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો હતો. જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હેમખેમ બહાર કાઢ્યો હતો.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.