ભરૂચ: મઢુલી સર્કલ નજીક ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 300થી વધુ બાઈક પોલીસે કરી ડિટેઇન

ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસનો સપાટો

  • ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ બાઈક ડિટેઇન કરાય

  • મઢુલી સર્કલ નજીક પાર્ક કરવામાં આવે છે બાઈક

  • દહેજ જતો નોકરિયાત વર્ગ બાઈક પાર્ક કરે છે

  • પોલીસે 300થી વધુ બાઈક ડિટેઇન કરી

Advertisment
ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચથી દહેજને જોડતા રોડ પર મઢુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઈક મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે. દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢૂલી સરકાર નજીક જ બાઈક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે. જેના પગલે મઢુલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું.
આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી.એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ 300 થી વધુ બાઈક ડીટેઇન કરી હતી અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.પોલીસની આ કામગીરીના કારણે બાઈક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment