ભરૂચ: મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની આખરે પોલીસે કરી ધરપકડ, ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીઓ સાથે કનેક્શન !

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • કોંગ્રેસના મોટા નેતાની ધરપકડ

  • હીરા જોટવાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

  • એજન્સીઓ સાથે કનેક્શન બહાર આવ્યું

  • તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ અને હાંસોટના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરુચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ SITની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરુચ લઇ આવી હતી જ્યાં પુછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.આ એજન્સીઓના મૂળ માલિક હીરા જોટવા જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.

Read the Next Article

ભરૂચ: મોડી રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે ઉકળાટ અને બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચ

New Update
heavy rain

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે ઉકળાટ અને બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચ શહેરમાં વરસાદ વરસ્યો હતો.

પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના ઝાડેશ્વર, કસક, લીંકરોડ શક્તિનાથ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.આ તરફ વીતેલા 24 કલાકમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ વાલિયા પંથકમાં નોંધાયો છે. જોકે મંગળવારની સવારથી જ વાતાવરણ ફરી ચોખ્ખું થઈ ગયું હતું અને મેઘરાજાની હાજરી નોંધાઈ ન હતી