ભરૂચ : જંબુસરની RTPCR લેબમાંથી AC-લેપટોપની ચોરી કરનાર 2 તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

પોલીસે તસ્કરો પાસેથી રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાથેજ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું

New Update
  • જંબુસરની RTPCR લેબમાં થઈ હતી ચોરી

  • લેબમાંથી AC અને લેપટોપની ચોરીનો મામલો

  • ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

  • રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

  • પોલીસે તસ્કરોનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

 ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરી કરનાર 2 તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.  ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે RTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી.

જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી.

તે દરમ્યાન બાતમીના આધારે જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને પોલીસ મથકે લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલરસ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી.

રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

પોલીસે સ્થાનિક શેરીઓમાં ફેરવતા બન્ને તસ્કરોને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીંજંબુસર પોલીસે બન્ને તસ્કરોને સાથે રાખી RTPCR લેબોરેટરી ખાતે સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.