ભરૂચ : જંબુસરની RTPCR લેબમાંથી AC-લેપટોપની ચોરી કરનાર 2 તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

પોલીસે તસ્કરો પાસેથી રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાથેજ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું

New Update
  • જંબુસરનીRTPCR લેબમાં થઈ હતી ચોરી

  • લેબમાંથીAC અને લેપટોપની ચોરીનો મામલો

  • ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

  • રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

  • પોલીસે તસ્કરોનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

ભરૂચ જિલ્લાના જંબુસરનીRTPCR લેબોરેટરીમાંથીAC તેમજ લેપટોપની ચોરી કરનાર 2 તસ્કરોનું પોલીસે સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.  ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયેRTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી.

જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી.

તે દરમ્યાન બાતમીના આધારે જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને પોલીસ મથકે લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

મુબારક મલેકAC રીપેરીંગ તેમજ જુનાAC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલરસ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી.

રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ જંબુસર પોલીસેAC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

પોલીસે સ્થાનિક શેરીઓમાં ફેરવતા બન્ને તસ્કરોને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીંજંબુસર પોલીસે બન્ને તસ્કરોને સાથે રાખીRTPCR લેબોરેટરી ખાતે સમગ્ર ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા