ભરૂચ: આમોદમાં વૃદ્ધા પર 2 વાર દુષ્કર્મ આચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું !

ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું

New Update
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા પર આચરાયું હતું દુષ્કર્મ

  • પોલીસે નરાધમનું જાહેરમાં કાઢ્યું સરઘસ

  • આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન

  • જરૂરી પુરાવા એકત્રિત કરાયા

ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું
નિર્ભયા કેસ બાદ ભરૂચના આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા ફેલાવી હતી.આમોદમાં વૃદ્ધા પર બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને રિકન્સ્ટ્રક્શન માટે કેરવાડા અને ઘટના સ્થળે લઇ જવાયો હતો. પોલીસે તેની સર્વિસ બાદ નરાધમને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળે પગપાળા લઇ જવાયો હતો.એક જ વૃદ્ધા પર બે બે વાર બળાત્કારની ઘટનાને અંજામ આપનાર વિરુદ્ધ લોકો તરફથી ફિટકાર વરસાવાયો હતો બેનકાબ આરોપી શરમથી મોઢું  ઝુકાવી લોકોથી  છુપાવતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળની રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા કેદ થયો હતો.પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યું હતું અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.