New Update
-
ભરૂચ અંકલેશ્વરના વાતાવરણમાં પલટો
-
વહેલી સવારથી કમોસમી વરસાદ
-
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક
-
હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી
-
ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું
નૈરુંત્યના ચોમાસાના આગમન પહેલા જ ભરુચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ ઠેર ઠેર છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે એ મુજબ જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારના સમયે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
આ તરફ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારના સમયથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર, જીઆઇડીસી, ગ્રામ્ય વિસ્તાર તેમજ હાંસોટ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સિઝનમાં બીજી વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.ખાસ કરીને ઉનાળુ ડાંગર બનાવતા ખેડૂતોએ આ માવઠાના કારણે નુકસાની વેઠવાનો આવે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય જતા જન જીવનને વ્યાપક અસર પહોંચી હતી. આ તરફ ઝઘડિયા અને હાંસોટમાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.