ભરૂચ : રક્ષાબંધને પાલિકાની સિટી બસમાં બહેનોને મફત મુસાફરીની ભેટ તો મળી, તો પણ કેટલીક બહેનો અટવાઈ પડી..!

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી.

New Update

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી. પરંતુ પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે કેટલીક બહેનો અટવાઈ પડી હતી.

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છેત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકો માટે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

જોકેછેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. પરંતુ કેટલીક સિટી બસોમાં ભંગારનો સામાનતો કેટલીક સિટી બસ ખખડધજ હાલતમાં જોવા મળતા પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે અનેક બહેનો સહિત બાળકો અટવાયા હતાત્યારે આ મામલે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે પણ પાલિકાની અપૂરતી સેવા સામે સવાલ ઉઠાવ્યો હતો.

તો બીજી તરફભરૂચ નગરપાલિકાના પ્રમુખે રદિયો આપતા જણાવ્યુ હતું કેરક્ષાબંધન પર્વને અનુલક્ષીને પાલિકા અને સિટી બસના સંચાલકોએ બહેનો તેમજ બાળકો માટે સિટી બસમાં એક દિવસ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જેમાં શહેરના વિવિધ 13 રૂટ ઉપર સિટી બસો દોડી રહી છેજેનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છેત્યારે ભરૂચ પાલિકા દ્વારા આપવામાં આવેલ વિનામુલ્યે સિટી બસ સેવા સામે વિધ્ન ઉભું નહીં કરીઆ સેવા અને પાલિકાને સહયોગ આપવા પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી.

 

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.