ભરૂચ : રક્ષાબંધને પાલિકાની સિટી બસમાં બહેનોને મફત મુસાફરીની ભેટ તો મળી, તો પણ કેટલીક બહેનો અટવાઈ પડી..!

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી.

New Update

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં મુસાફરીની મફત સુવિધાની ભેટ આપવામાં આવી હતી. પરંતુ પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે કેટલીક બહેનો અટવાઈ પડી હતી.

Advertisment

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતાં લોકોને અવર-જવર કરવામાં ખૂબ અનુકૂળતા પડી રહી છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છેત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકો માટે સમગ્ર દિવસ દરમ્યાન સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

જોકેછેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. પરંતુ કેટલીક સિટી બસોમાં ભંગારનો સામાનતો કેટલીક સિટી બસ ખખડધજ હાલતમાં જોવા મળતા પાલિકાની જાહેરાત વચ્ચે અપૂરતી સેવાના પગલે અનેક બહેનો સહિત બાળકો અટવાયા હતાત્યારે આ મામલે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે પણ પાલિકાની અપૂરતી સેવા સામે સવાલ ઉઠાવ્યો હતો.

તો બીજી તરફભરૂચ નગરપાલિકાના પ્રમુખે રદિયો આપતા જણાવ્યુ હતું કેરક્ષાબંધન પર્વને અનુલક્ષીને પાલિકા અને સિટી બસના સંચાલકોએ બહેનો તેમજ બાળકો માટે સિટી બસમાં એક દિવસ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જેમાં શહેરના વિવિધ 13 રૂટ ઉપર સિટી બસો દોડી રહી છેજેનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છેત્યારે ભરૂચ પાલિકા દ્વારા આપવામાં આવેલ વિનામુલ્યે સિટી બસ સેવા સામે વિધ્ન ઉભું નહીં કરીઆ સેવા અને પાલિકાને સહયોગ આપવા પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment