-
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકભરતીનું આયોજન
-
શાળાઓમાં કરાશે શિક્ષકોની ભરતી
-
સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓમાંથશે ભરતી
-
તંત્ર દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરાઈ
-
વેરિફિકેશનબાદ શાળાની કરાશે ફાળવણી
ભરૂચ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,અને આગામી સમયમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતીનું આયોજન કરાયું છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં સરકારી અને સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.ભરૂચની અધવૈદ્ય વિદ્યાનિકેતન ખાતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું.
તારીખ 25મી માર્ચ સુધી સરકારી શાળાના 89 ઉમેદવારોના અને તે ત્યારબાદ 29મી માર્ચ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત શાળાના 136 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલશે.અને બાદમાં તેઓને શાળાઓની ફાળવણી કરી એપોઇન્ટમેન્ટ લેટર એલોટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.