ભરૂચ : જિલ્લામાં સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ

ભરૂચ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,અને આગામી સમયમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

New Update
  • રાજ્ય સરકાર દ્વારા શિક્ષકભરતીનું આયોજન

  • શાળાઓમાં કરાશે શિક્ષકોની ભરતી

  • સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓમાંથશે ભરતી

  • તંત્ર દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરાઈ

  • વેરિફિકેશનબાદ શાળાની કરાશે ફાળવણી  

ભરૂચ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,અને આગામી સમયમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતીનું આયોજન કરાયું છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં સરકારી અને સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.ભરૂચની અધવૈદ્ય વિદ્યાનિકેતન ખાતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું.

તારીખ 25મી માર્ચ સુધી સરકારી શાળાના 89 ઉમેદવારોના અને તે ત્યારબાદ 29મી માર્ચ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  સરકારી અનુદાનિત શાળાના 136 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલશે.અને બાદમાં તેઓને શાળાઓની ફાળવણી કરી એપોઇન્ટમેન્ટ લેટર એલોટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.