ભરૂચ: મહંમદપૂરાથી આલીઢાલ સુધી બ્લોક નાંખી રસ્તાનું કરવામાં આવશે સમારકામ

ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે  પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
ભરૂચ શહેરના મહમદપુરા થી આલી ઢાળ સુધીનો માર્ગ ખુબજ બિસ્માર થઇ ગયો હતો,અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું હતું.ત્યારે મોડેમોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓને પુરવા માટેનો ઉપાય શોધી લીધો છે,અને હવે પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
Advertisment
2/38

પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય

ભરૂચ શહેરના મહમદપુરા થી આલી ઢાળનો અંદાજીત એક થી દોઢ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,અને નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પુરાવા  માટેની કવાયત હાથ ધરી હતી,જોકે તેમ છતાં રસ્તો બિસ્માર જ બની રહ્યો હતો,જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે,પરંતુ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી.જેમાં ચર્ચા કરીને મહમદપુરા થી આલી ઢાળનો માર્ગનું હંગામી ધોરણે નિકાલ લાવવા માટેની કવાયત શરૂ કરી છે.અને આ ખરાબ માર્ગ પરના ખાડામાં પેવર બ્લોકનું પેચિંગ કરવામાં આવશે,અને વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા માંથી રાહત મળશે તેવો આશાવાદ પણ નગર સેવા સદનના પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે.  
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.
Latest Stories