ભરૂચ: મહંમદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે પગલા ભરવાની માંગ, SAF દ્વારા આવેદનપત્ર પાઠવાયું

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update

ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા

મહંમદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર સામે પગલા ભરવા માંગ

મુસ્લિમ સમાજને નિશાન બનાવાયું હોવાના આક્ષેપ

સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરનેપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે. ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મહંમદ પયગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ, અપમાનજનક અને વિદ્વેષભર્યા નિવેદનો આપ્યા છે, જે દેશના બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે. આવી પ્રકૃતિના નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે ત્યારે નરસિંહાનંદની ધૃણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.