ભરૂચ: 15 દિવસમાં બીજી વખત મીની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી-વીજ પુરવઠો ઠપ્પ

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો

New Update
  • ભરૂચના વાતાવરણમાં ફરીવાર પલટો

  • મોડી રાત્રીએ મીની વાવાઝોડું ફૂંકાયું

  • ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી

  • વીજ પુરવઠો પણ ખોરવાયો

  • 9 પૈકી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં મધ્યરાત્રીના સમયે  40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની અને મકાનોના પતરા ઉડી જવાની ઘટના બની હતી તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવા તેમજ મકાનોના પતરા  ઉડી જવાની ઘટના બની હતી. ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કુંકાયેલ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશયી થઈ ગયા હતા તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખરાયો હતો.

ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 મી.મી., આમોદમાં 4 મી.મી, જંબુસરમાં ત્રણ મી.મી., ઝઘડિયામાં 18 મી.મી. નેત્રંગમાં 1 મી.મી. ભરૂચમાં 16 મી.મી., વાગરામાં 19 મી.મી.અને હાસોટમાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતોમહવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ રાત્રિના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક કરી હતી તો બીજી તરફ ખેતીના પાકને વ્યાપક નુકશાનીને શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.