ભરૂચ : ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારો-સોસાયટીઓમાં પાણી ભરાયા

ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, 

New Update

ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતાત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા માટે ભરૂચ પાલિકા તંત્ર સજ્જ બન્યું છે.

 રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે આગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છેતારે ભરૂચ શહેર તથા જીલ્લામાં વરસેલા અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. શહેરના લીંક રોડ પર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય જતાં દત્ત સોસાયટીમંગલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘુઠણસમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફશહેરના કસક સર્કલ નજીક વરસાદી પાણીનો ભરાવો થયો છે. કસક સર્કલ નજીક ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે જ વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધા માટે ભરૂચ નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છેત્યારે પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતની ટીમ દ્વારા પરિસ્થિતીનો તાગ મેળવવા સ્થળ મુલાકાત કરવામાં આવી હતીજ્યાં JCBની મદદથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.