ભરૂચ: મહાશિવરાત્રી નિમિતે ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું સર્જન !

ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે

New Update

ભરૂચમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીનો થનગનાટ

Advertisment W3.CSS

દેવાલયોમાં ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું નિર્માણ

શિવજીની કલાત્મક પ્રતિમાઓનું નિર્માણ કરાયુ

યુવા કલાકાર પિતા પાસેથી શીખ્યા હતા કલા

રિતેશ જાદવ પ્રતિવર્ષ બનાવે છે શિવ પ્રતિમા

ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના  યુવા કલાકાર ઘીમાંથી શિવજીની પ્રતિમાને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.ભરૂચના સોનેરી મહલ પાસે  રહેતા 36  વર્ષીય રીતેશ જાદવે તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરીયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવાતા શીખ્યા હતા જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે.આજદિન સુધીમાં તેઓએ આશરે સાત હજાર પ્રતિમાઓને કંડારી છે.આ વર્ષે પણ રિતેશ ભાઈને  ભરુચના આધ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ ઘીમાંથી શિવજીની પ્રતિમા બનાવવાના ઓર્ડર પ્રાપ્ત થયા છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.