ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કૌભાંડની તપાસ માટે મોટો નિર્ણય

  • સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

  • 11 પોલીસકર્મીઓ કૌભાંડની કરશે તપાસ

  • DYSP ડો.અનિલ સિસારાને સીટની કમાન

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન ડી.વાય.એસ.પી.ડો. અનિલ સિસારાને આપવામાં આવી છે.. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર,એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચારાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયુ છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • મકાન દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોર ઝડપાયા

  • સુરત અને ભરૂચમાં ચોરીના ગુનાઓને આપ્યો હતો અંજામ

  • રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના બે રીઢા સાગરીતો સહિત એક લબરમુછીયાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-19મી જુનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કતારગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિશ ઉર્ફે ડેનિયો ભુપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.