ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાય, અંકલેશ્વર તરફ 4 કી.મી.સુધી વાહનોની કતાર !

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

New Update

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકજામ

નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફ વાહનોની કતાર

બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામ

3-4 કી.મી.સુધી વાહનોની કતાર

તહેવારોના સમયે અનેક વાહનચાલકો અટવાયા

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફરી એક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે નેશનલ હાઇવે નંબર 48 પર નહીં પરંતુ ભરૂચના નર્મદા મૈયા બ્રીજ નજીક ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે. આજે સવારના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે અંકલેશ્વર તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વરની ભૂતમામા ડેરી સુધી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી ત્યારે તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી એસ.ટી. બસ બાજુ પર ખસેડવાની કામગીરી કરી હતી જે બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.