ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાય, અંકલેશ્વર તરફ 4 કી.મી.સુધી વાહનોની કતાર !

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

New Update

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકજામ

નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફ વાહનોની કતાર

બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામ

3-4 કી.મી.સુધી વાહનોની કતાર

તહેવારોના સમયે અનેક વાહનચાલકો અટવાયા

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફરી એક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે નેશનલ હાઇવે નંબર 48 પર નહીં પરંતુ ભરૂચના નર્મદા મૈયા બ્રીજ નજીક ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે. આજે સવારના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસ.ટી.બસ ખોટકાતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે અંકલેશ્વર તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વરની ભૂતમામા ડેરી સુધી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી ત્યારે તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી એસ.ટી. બસ બાજુ પર ખસેડવાની કામગીરી કરી હતી જે બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.