ભરૂચ: સુથીયાપૂરાથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને RCC રોડનું થશે નિર્માણ, ખાતર્મુહુત કરાયુ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કરાશે નિર્માણ

  • RCC રોડનું પણ નિર્માણ કરાશે

  • ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત

  • રૂ.73 લાખનો કરવામાં આવશે ખર્ચ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭માં આવેલ વિવિધ મહોલ્લાના લોકોને ગટર લાઈન અને માર્ગને લઇ પડી રહેલ અગવડને ધ્યાનમાં રાખી ૭૩.૫૭ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે ગ્રાન્ટમાંથી સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનાવવામાં આવનાર છે.જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહીત સ્થાનિક નગર સેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનશે તો લોકોની સમસ્યા દુર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહીત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના જૂની તરસાલી ગામે નર્મદા નદીમાં પલક ઝપકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર, વિડીયો થયો વાયરલ

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

New Update
mgr ncue

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે.

Advertisment

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચઢેલ મગર બે પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું હતું અને શિકાર કર્યો હતો.આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેક વાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.