ભરૂચ: સુથીયાપૂરાથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને RCC રોડનું થશે નિર્માણ, ખાતર્મુહુત કરાયુ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કરાશે નિર્માણ

  • RCC રોડનું પણ નિર્માણ કરાશે

  • ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત

  • રૂ.73 લાખનો કરવામાં આવશે ખર્ચ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭માં આવેલ વિવિધ મહોલ્લાના લોકોને ગટર લાઈન અને માર્ગને લઇ પડી રહેલ અગવડને ધ્યાનમાં રાખી ૭૩.૫૭ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે ગ્રાન્ટમાંથી સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનાવવામાં આવનાર છે.જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહીત સ્થાનિક નગર સેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડ બનશે તો લોકોની સમસ્યા દુર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહીત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.