ભરૂચ: ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓ અનિયમિત બસ સેવાથી મુશ્કેલીમાં, ડેપો મેનેજરને કરવામાં આવી રજુઆત

ભરૂચના ચાંચવેલ ગામના 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી નિયમિત બસ સેવા આપવાની માંગણી કરી હતી.

New Update
  • ભરૂચના ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓનો પ્રશ્ન

  • અનિયમિત બસ સેવાના કારણે મુશ્કેલી

  • ડેપો મેનેજરને કરવામાં આવી રજુઆત

  • પ્રશ્નના નિરાકરણની માંગ કરાય

  • માંગ ન સંતોષાય તો ભૂખ હડતાલની ચીમકી

ભરૂચના ચાંચવેલ ગામના 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી નિયમિત બસ સેવા આપવાની માંગણી કરી હતી.
ભરૂચના ચાચેવલ ગામના 35થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે પરંતુ  બસની નિયમિતતાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે
Read the Next Article

ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે.

New Update
  • જંબુસર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો

  • શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ બસ સેવા શરૂ

  • કાવી-કંબોઈનારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત

  • ભક્તોની લાગણી - સુવિધાને ધ્યાનમાં રાખી આયોજન

  • યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છેત્યારે ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

જંબુસરથી કાવી-કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે. જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્નવિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કેશ્રાવણ માસ દરમ્યાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કાવી-કંબોઈ તથા નારેશ્વર બન્ને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે. તેથી પૂરતી સંખ્યામાં બસો મુકવામાં આવી છેઅને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશેત્યારે જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.