ભરૂચ : શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોતનો મામલો, માછીમાર સમાજની CMને રજૂઆત..!

ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

New Update
  • શુક્લતીર્થ ખાતે નદીમાં ડૂબી જતાં 4 લોકોના મોતનો મામલો

  • રેતી ખનનના કારણે દુર્ઘટના સર્જાતી હોવાનો કરાયો આક્ષેપ

  • માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાય

  • જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માછીમાર સમાજ દ્વારા ઉઠી

  • મૃતકોના પરિજનોને રૂ. 50 લાખ વળતર ચૂકવવા માંગ કરી

ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છેત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલ ભરૂચના શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો ચાલી રહ્યો છે. જેમાં રાજ્યભરમાં લોકો મેળો મહાલવા આવી રહ્યા છેત્યારે શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં 2 દિવસમાં 4 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. તેવામાં ગતરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ગેરકાયદે રેતી ખનન થતું હોવાથી ભરૂચનર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફહવે માછીમાર સમાજ પણ આગળ આવ્યો છે. ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રીરાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓને મેઈલ મારફતે રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કેશુકલતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના મૃત્યુ બાબતે તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકેશુક્લતીર્થમાં નર્મદા નદી કિનારે વર્ષોથી ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. નદી કાંઠાનો કેટલોક વિસ્તાર સી.આર.ઝેડ.માં આવેલો વિસ્તાર પણ છે. તેમ છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની નજર અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદે રેત ખનન થઈ રહ્યું હોવાનો માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજીંગ મશીનો વડે રેતી ખેંચવાના લીધે નદીના સમગ્ર વિસ્તારમાં ઊંડા-ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાય ગયેલું છે. તેવામાં ગેરકાયદે રેત ખનનના કારણે સેંકડો લોકોના પાણીમાં ડૂબી જવાથી અને રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજવાથી ઘણાં પરિવારો ઉજડી ગયા છે. જેને કાયદાની પરિભાષામાં આકસ્મીક મૃત્યુ કહી શકાયપણ નૈતિક્તાની દ્રષ્ટિએ જોઈએ તોઆ ગેરકાયદે રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના સભ્યો અને જવાબદાર વહીવટી તંત્ર જ આ ઘટનામાં જવાબદાર હોવાનો ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છેત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાય તે માટે ભરૂચ માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.