-
અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના
-
જંબુસરના સારોદ ગામના યુવાનનું મોત
-
વર્કપરમીટ પર ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો
-
માતા અને મામા એરપોર્ટ મુકવા ગયા હતા
-
પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ
ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઇ આવ્યો છે. ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલાં ડ્રોમાં સાહિલનું નામ નીકળતાં તે વર્ક પરમીટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાનો થયો હતો. તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહયો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયાં હતાં.એરપોર્ટ સાહિલને મુકીને અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં ગયાં હતાં. સંબંધીને ત્યાં પહોંચ્યાં ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યાં હતાં જેના પગલે પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મૃતક ના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવીએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું