ભરૂચ: NH 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં જ ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

  • નબીપુર નજીક અકસ્માત સર્જાયો

  • 2 ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત

  • ટ્રક ચાલક કેબિનમાં ફસાય ગયો

  • રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો

ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વર હાઇવે ઉપર હાલ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ ભરૂચ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાયો હતો હાઈવા ટ્રક પાછળ અન્ય હાઈવા ટ્રક અને કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.