ભરૂચ: NH 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં જ ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

  • નબીપુર નજીક અકસ્માત સર્જાયો

  • 2 ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત

  • ટ્રક ચાલક કેબિનમાં ફસાય ગયો

  • રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો

ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વર હાઇવે ઉપર હાલ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ ભરૂચ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાયો હતો હાઈવા ટ્રક પાછળ અન્ય હાઈવા ટ્રક અને કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની લંડન સફર બની અંતિમ, ડ્રોમાં નામ નિકળતા વર્કપરમીટ પર જઈ રહ્યો હતો ઇંગ્લેન્ડ

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના

  • જંબુસરના સારોદ ગામના યુવાનનું મોત

  • વર્કપરમીટ પર ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો

  • માતા અને મામા એરપોર્ટ મુકવા ગયા હતા

  • પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ 

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઇ આવ્યો છે. ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલાં ડ્રોમાં સાહિલનું નામ નીકળતાં તે વર્ક પરમીટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાનો થયો હતો. તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહયો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયાં હતાં.એરપોર્ટ સાહિલને મુકીને અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં ગયાં હતાં. સંબંધીને ત્યાં પહોંચ્યાં ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યાં હતાં જેના પગલે પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મૃતક ના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવીએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું

આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવાની માંગ કરી હતી.