ભરૂચ: વાલિયા પોલીસે 10 અસામાજિક તત્વોની યાદી કરી તૈયાર, મકાનોમાં વીજ કનેકશનની તપાસ કરી રૂ.55 હજારનો દંડ ફટકારાયો

ભરૂચની વાલિયા પોલીસ દ્વારા તાલુકાના કુલ 10  અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા 56 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે

New Update
aaa

ભરૂચનીવાલિયા પોલીસ દ્વારા તાલુકાના કુલ 10  અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા 56 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે

રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને એ.એસ.પી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર સહિત સ્ટાફ દ્વારા તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બુટલેગર સહિત અન્ય ગંભીર ગુનાના આરોપીઓની યાદી તૈયાર કરાય છે. આ ઉપરાંત પોલીસે 5  અસામાજિક તત્વોના મકાનના વીજ કનેક્શનની  તપાસ કરી છે.
 દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી.જેમાં 54 હજારથી વધુની ગેરરીતિ જણાઈ આવતા વીજ કંપનીના અધિકારીઓએ દંડ વસુલ કર્યો હતો.જ્યારે પોલીસે આ તમામ તત્વો સામે પગલાં ભર્યા હતા.
Read the Next Article

ભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..!

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..

New Update
  • ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર

  • રાજપારડીથી SOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો

  • પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

  • માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છેત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.