-
ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર
-
રાજપારડીથી SOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો
-
પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી
-
માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની
-
વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.
હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.
વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.