ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત લોક દરબારમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાય

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

New Update
  • ’ ડિવિઝન પોલીસ મથક ખાતે કરાયું આયોજન

  • જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર

  • સ્થાનિકો દ્વારા પડતર માંગોને લઈ રજૂઆત કરાય

  • સમસ્યાઓના નિવારણ માટેચર્ચા-વિચારણા કરાય

  • પોલીસ લોકસેવાના અમલની હૈયા ધારણા અપાય

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનના અંતિમ દિને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના રહીશોઅગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાસુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોક રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલની હૈયા ધારણા આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.