ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત લોક દરબારમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાય

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

New Update
  • ’ ડિવિઝન પોલીસ મથક ખાતે કરાયું આયોજન

  • જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર

  • સ્થાનિકો દ્વારા પડતર માંગોને લઈ રજૂઆત કરાય

  • સમસ્યાઓના નિવારણ માટેચર્ચા-વિચારણા કરાય

  • પોલીસ લોકસેવાના અમલની હૈયા ધારણા અપાય

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના સ્થાનિકોએ પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી.

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનના અંતિમ દિને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારના રહીશોઅગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાસુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોક રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલની હૈયા ધારણા આપી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.