ભરૂચ: ત્રણ બેઠકો પર પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો, ધારાસભ્યોએ કર્યા જીતના દાવા

ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર આજર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટાચૂંટણી

  • જંબુસર ન.પા.ની એક બેઠક

  • આછોદ જિલ્લા પંચાયત બેઠક

  • પંડવાઈ તાલુકા પંચાયત બેઠક

  • ત્રણેય બેઠકની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર આજર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો

સમગ્ર રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી જંબુસર નગર સેવાસદનના વોર્ડ નંબર એક જિલ્લા પંચાયતની આછોદ  બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 34 હજાર જેટલા મતદારો નોંધાયેલાં છે.આછોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પક્ષમાંથી મેલાભાઈ ભીમાભાઇ વસાવા અને કોંગ્રેસ પક્ષમાંથી સોમાભાઈ અંબાલાલ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે

જંબુસરમાં પાલિકાનાવોર્ડ નંબર -1ની એક બેઠકની ચૂંટણી માટે ચૂંટણી માટે  ત્રણ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરૂષ મળી કુલ 4783 મતદારો નોંધાયેલાં છે.જંબુસર નગરપાલિકામાં ભાજપમાંથી અમિષા વાઘેલા, કોંગ્રેસમાંથી વનિતા જાદવ અને આમ આદમી પાર્ટીમાંથી કિરણ માછીએ ઉમેદવારી નોંધાવી છે.
આ તરફ હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ બેઠક પર 2400 જેટલા મતદારો નોંધાયેલા છે.પંડવાઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી મનીષ પટેલ તો કોંગ્રેસમાંથી ધવલ  પટેલે ઉમેદવારી નોંધાવી છે.પંડવાઈ બેઠકના સભ્યએ રાજીનામું આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.આ બેઠક જીતવા અંગેનો દાવો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યો હતો
Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.