ભરૂચ: ત્રણ બેઠકો પર પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો, ધારાસભ્યોએ કર્યા જીતના દાવા

ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર આજર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટાચૂંટણી

  • જંબુસર ન.પા.ની એક બેઠક

  • આછોદ જિલ્લા પંચાયત બેઠક

  • પંડવાઈ તાલુકા પંચાયત બેઠક

  • ત્રણેય બેઠકની ચૂંટણીમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

Advertisment
ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર આજર પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો

સમગ્ર રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી જંબુસર નગર સેવાસદનના વોર્ડ નંબર એક જિલ્લા પંચાયતની આછોદ  બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 34 હજાર જેટલા મતદારો નોંધાયેલાં છે.આછોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પક્ષમાંથી મેલાભાઈ ભીમાભાઇ વસાવા અને કોંગ્રેસ પક્ષમાંથી સોમાભાઈ અંબાલાલ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે

જંબુસરમાં પાલિકાનાવોર્ડ નંબર -1ની એક બેઠકની ચૂંટણી માટે ચૂંટણી માટે  ત્રણ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરૂષ મળી કુલ 4783 મતદારો નોંધાયેલાં છે.જંબુસર નગરપાલિકામાં ભાજપમાંથી અમિષા વાઘેલા, કોંગ્રેસમાંથી વનિતા જાદવ અને આમ આદમી પાર્ટીમાંથી કિરણ માછીએ ઉમેદવારી નોંધાવી છે.
આ તરફ હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ બેઠક પર 2400 જેટલા મતદારો નોંધાયેલા છે.પંડવાઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી મનીષ પટેલ તો કોંગ્રેસમાંથી ધવલ  પટેલે ઉમેદવારી નોંધાવી છે.પંડવાઈ બેઠકના સભ્યએ રાજીનામું આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.આ બેઠક જીતવા અંગેનો દાવો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યો હતો
Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment