ભરૂચ સાયખાની દત્તા હાઈડ્રો કેમકંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. 

New Update
  • ભરૂચની સાયખા જીઆઇડીસીનો બનાવ

  • દત્તા હાઈડ્રો કેમ કંપનીમાં કામદાર ઉંચાઈ પરથી પટકાયો

  • કામદારનું ગંભીર ઇજાના પગલે મોત

  • પતરાના શેડ પરથી કામદાર નીચે પટકાયો હતો

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચની સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. 
ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં  આવેલ દત્તા હાઇડ્રો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટરાના શેડ ઉપર પટરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન  શેડ પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્ર વસાવાનો પગ લપસી ગયો હતો. જેથી નીચેથી ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પી.એમ કરાવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી.ઉલ્લેખનીય છે, કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવાની ઘટના સામે આવી હતી. જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.