ઝઘડિયાની બિરલા સેન્ચુરી કંપનીને બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે બિરલા સેન્ચુરી કંપની

  • કંપની ખોટમાં જતા લેવામાં આવ્યો નિર્ણય

  • કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી

  • કામદારોમાં જોવા મળ્યો રોષ

  • જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીના ગેટ પર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા.
આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી.આથી કંપની તા.૨૬.૫.૨૩ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ વખતો વખત તા. ૩૦.૧૧.૨૪ સુધી લંબાવવામાં આવી હતી, આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ  બહુમતી કામદારોએ લીધો છે.કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવમાં આવી છે
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.