ઝઘડિયાની બિરલા સેન્ચુરી કંપનીને બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે બિરલા સેન્ચુરી કંપની

  • કંપની ખોટમાં જતા લેવામાં આવ્યો નિર્ણય

  • કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી

  • કામદારોમાં જોવા મળ્યો રોષ

  • જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીના ગેટ પર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા.
આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી.આથી કંપની તા.૨૬.૫.૨૩ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ વખતો વખત તા. ૩૦.૧૧.૨૪ સુધી લંબાવવામાં આવી હતી, આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ  બહુમતી કામદારોએ લીધો છે.કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવમાં આવી છે
Read the Next Article

ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.