ઝઘડિયાની બિરલા સેન્ચુરી કંપનીને બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે બિરલા સેન્ચુરી કંપની

  • કંપની ખોટમાં જતા લેવામાં આવ્યો નિર્ણય

  • કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી

  • કામદારોમાં જોવા મળ્યો રોષ

  • જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીના ગેટ પર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા.
આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્ષટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી.આથી કંપની તા.૨૬.૫.૨૩ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ વખતો વખત તા. ૩૦.૧૧.૨૪ સુધી લંબાવવામાં આવી હતી, આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ  બહુમતી કામદારોએ લીધો છે.કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવમાં આવી છે
Advertisment
Read the Next Article

ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

New Update
bharuch Cyclone Meeting
અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
Advertisment
આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુલી જોડાયા હતા.
Advertisment