કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો વિડીયો કર્યો શેર, કહ્યું આ છે ગુજરાત મોડલ!

ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update

ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ત્યારે કોંગ્રેસના નેતા અને મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ જાતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને અંકલેશ્વરના માર્ગો દર્શાવી રહ્યા છે. 

મુમતાઝ પટેલે વીડિયોમાં જણાવ્યું હતું કે " ભાજપની નગરપાલિકા,ભાજપના ધારાસભ્ય,ભાજપના સાંસદ,ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં ભાજપની સરકાર, આ છે ગુજરાત મોડલ, 5 કી.મી.નો રસ્તો પસાર કરવા અમે 1 કલાકથી આ રસ્તા પર છે, આ હાલત વરસાદના કારણે નથી પણ છેલ્લા ઘણા વર્ષથી આ પરિસ્થિતિ છે. અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે મુમતાઝ પટેલે વીડિયો શેર કરતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment