અંકલેશ્વર હાંસોટ તાલુકાની  27 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા શરૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

New Update
  • ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા

  • અંકલેશ્વર હાંસોટની 27 પંચાયતોની મતગણતરી

  • શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા શરૂ

  • વરસાદી માહોલ વચ્ચે મતગણતરી

  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય હતી ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતો અને હાંસોટ તાલુકાની 4 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાય હતી. વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામપંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ તરફ હાંસોટ તાલુકાની 4 ગ્રામપંચાયતોની ચૂંટણીની પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.