New Update
/connect-gujarat/media/media_files/2025/08/07/crocodile-rescue-2025-08-07-15-26-10.jpg)
ભરૂચ શુકલતીર્થ ગામની આંબાવાડી વિસ્તારમાં આવેલ તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિક પરેશ પટેલે મગરને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ નેચરલ પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશ કથીત, દિવ્યેશ અને ધવલ માટોકર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તળાવ પાસે પાંજરું મૂકવામાં આવ્યું અને મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો હતો.
Latest Stories