અંકલેશ્વર : પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલય ખાતે દિવાળી પૂજન કરાયું

પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય, પ્રોલાઈફ કંપની-કનેક્ટ ગુજરાત કાર્યાલય ખાતે પૂજા યોજાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારોમાં લક્ષ્મીપૂજનનો અનેરો મહિમા રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલીની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે દીપોત્સવ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી પૂજન સહિત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીસાક્ષી જોલીકંપની ડિરેક્ટર અનુરીત જોલીયોગેશ પારિકડો. ખુશ્બુ પંડ્યાવી.કે.પટેલચંદ્રભાન ગુપ્તા સહિત મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જોકેદિવાળીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવાનું અનેરું મહત્વ રહ્યું છેત્યારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ હેક્ષોન આર્કેડ સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલય ખાતે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવી સરસ્વતી અને મહાલક્ષ્મી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના એમડી યોગેશ પારિકડો. ખુશ્બુ પંડ્યા, નીરવ પંચાલ, દિપક ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કનેક્ટ ગુજરાત પરિવારના સભ્યોએ પૂજન અર્ચનમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.