અંકલેશ્વર: ઠંડી વધતા તસ્કરોનો પોલીસને પડકાર, મીરા નગરમાં કરીયાણાની દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • ચોરીના બનાવોમાં વધારો

  • મીરાનગર સ્થિત કરીયાણાની દુકાનને બનાવી નિશાન

  • દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસીડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાન ચલાવે છે.જેઓ ગતરોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે.ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેક્યો છે.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.