અંકલેશ્વર: ઠંડી વધતા તસ્કરોનો પોલીસને પડકાર, મીરા નગરમાં કરીયાણાની દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • ચોરીના બનાવોમાં વધારો

  • મીરાનગર સ્થિત કરીયાણાની દુકાનને બનાવી નિશાન

  • દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસીડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદિપ કોમ્પલેક્ષમાં કરીયાણાની દુકાન ચલાવે છે.જેઓ ગતરોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે.ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેક્યો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment