ભરૂચ:હાંસોટના વમલેશ્વરમાં નર્મદા પરીક્રમાવાસીઓ પાસે બોટનું આડેધડ ભાડુ વસુલાતુ હોવાના આક્ષેપ

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટના  ઈજારેદાર આડેધડ ભાડું વસુલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update

હાંસોટના વમલેશ્વર ગામે ચાલે છે હોડીઘાટ

નર્મદા પરિક્રમાવાસીઓ બોટનો કરે છે ઉપયોગ

ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાય રજુઆત

પરિક્રમાવાસીઓ પાસેથી આડેધડ ભાડુ વસુલાતુ હોવાના આક્ષેપ

હોડીઘાટની હરાજી કરવા માંગ કરવામાં આવી

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટના  ઈજારેદાર આડેધડ ભાડું વસુલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જીલ્લા પંચાયત કચેરી ખાતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને હાંસોટના વમલેશ્વર ગામના નાગરિકોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દશેરાથી સંચાલક સંકેત પટેલે હોડીઘાટ શરુ કર્યો છે.જેઓ પોતાની મનમાની મુજબ ભાડુ વસુલ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સંચાલક પરિક્રમાવાસીઓ પાસેથી વ્યક્તિ દીઠ ૭૫૦ રૂપિયા ભાડું વસુલ કરી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.ગ્રામજનોએ સંચાલક સંકેત પટેલને હોડી ઘાટ અંગે પૂછતા તેઓએ વર્ક ઓર્ડર મુજબ બોટ ચલાવતા હોવા સાથે ઉડાવ જવાબ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ હોડીઘાટની હરાજી કરવા સાથે વર્ષોથી ગામના હોડી ચલાવતા ૨૦ આદિવાસી કુટુંબોની બોટ પણ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.