ભરૂચ- અંકલેશ્વરમાં મહા સુદ સાતમ- નર્મદા જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • આજે મહાસુદ સાતમ

  • નર્મદા જયંતિની ઉજવણી

  • ભરૂચ- અંકલેશ્વરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

  • નર્મદા માતાજી પર દુધનો અભિષેક કરાયો

  • અંકલેશ્વરમાં નવચંડી યજ્ઞનું આયોજન

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
વિશ્વની પ્રથમ એક એવી નર્મદા નદી છે કે, જેનાં દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે, ત્યારે આજરોજ મહા સુદ સાતમ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દસાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક, દુગ્ધાભિષેક, પૂજન-અર્ચન, સાડી અર્પણ, મહાઆરતી, મહાયજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માતાજી પર અભિષેક કરેલ દૂધને ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદીનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

ભરૂચ: રંગવાટીકા સોસા.માં મકાનની સેફટી ટેન્કમાં ખાબકેલ આખલાનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે

New Update
IMG-20250710-WA0004

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે આ વિસ્તારના એક નવા બાંધકામમાં બનાવવામાં આવેલી સેફ્ટી ટાંકીમાં એક આંખલો પડી ગયો છે.

માહિતિ મળતાની સાથે જ બંને ટ્રસ્ટી તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન આ સેફ્ટી ટાંકીમાં એક આંખલો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તેમનો સહકાર લેવામાં આવ્યો હતો.ફાયર વિભાગની ટીમે ટાંકામાંથી મૃત આખલાને બહાર કાઢી પોતાની કામગીરી પૂરી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આખલાની અંતિમ વિધિ કરાઈ હતી