ભરૂચ- અંકલેશ્વરમાં મહા સુદ સાતમ- નર્મદા જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • આજે મહાસુદ સાતમ

  • નર્મદા જયંતિની ઉજવણી

  • ભરૂચ- અંકલેશ્વરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

  • નર્મદા માતાજી પર દુધનો અભિષેક કરાયો

  • અંકલેશ્વરમાં નવચંડી યજ્ઞનું આયોજન

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
વિશ્વની પ્રથમ એક એવી નર્મદા નદી છે કે, જેનાં દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે, ત્યારે આજરોજ મહા સુદ સાતમ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દસાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક, દુગ્ધાભિષેક, પૂજન-અર્ચન, સાડી અર્પણ, મહાઆરતી, મહાયજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માતાજી પર અભિષેક કરેલ દૂધને ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદીનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.